ગોધરાકાંડ આધારિત ગુજરાતી ફિલ્મ સાથે સુશીલ પરિદાનો રૂપેરી પડદે થશે પ્રવેશ
(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૧: ઇન્દર ઇન્ટરનેશનલ ર૦૦ર ના ગોધરાકાંડ પર આધારિત ગુજરાતી ફિલ્મ બનાવી રહેલ છે. ગોધરા કાંડને લીધે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જો કે, ફિલ્મની પશ્ચાદ્ભુ હીરાનો વ્યવસાય છે અને તેનું શૂટિંગ આંતરરાષ્ટ્રીય લોકેશન પર કરવામાં આવશે.
આ ફિલ્મ દ્વારા સુશીલ પરિદાનો રૂપેરી પડદે પ્રવેશ થશે. તેની સાથે બોલીવૂડ અને ગુજરાતી કલાકારો સાથે કેટલાક રાજકીય નેતાઓ જેમણે ગોધરાકાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે પણ જોવા મળશે.
ઇન્દર ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યંત વાસ્તવિક અને આગવી ફિલ્મ હશે. આ પોલિટિકલ ડ્રામાના લેખર બંટી સિંહ છે જે ફિલ્મના એડિટર, દિગ્દર્શક અને નિર્માતા પણ છે. ફિલ્મના તમામ કલાકારોની પસંદગી થયા બાદ શૂટિંગ શરૂ થશે.