News of Saturday, 13th August 2022
હર ઘર તિરંગા ઉત્સવ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સેન્ટર પર તિરંગો લગાવી ઉજવણી કરવામાં આવી
(ભરત શાહ દ્વારા) ભારત સરકાર પુરસ્કૃત " સખી ” વન સ્ટોપ સેન્ટર, રાજપીપળા ૨૪ * ૭ કલાક કાર્યરત રહે છે. “ સખી ” વન સ્ટોપ સેન્ટરમાં હિંસા અસરગ્રસ્ત મહિલા / કિશોરીઓને મુખ્ય પાંચ પ્રકારની સહાય એક જ છત હેઠળ નિ : શુલ્ક પૂરી પાડવામાં આવે છે.જેમાં આશ્રય , પરામર્શ , મેડીકલ સહાય , પોલીસ સહાય , કાયદાકીય સહાય આપવામાં આવતી હોય છે.અત્યાર સુધી કુલ ૩૧૪ હિંસા અસરગ્રસ્ત મહિલાઓ / કિશોરી ઓ સેન્ટર દ્વારા વિવિધ પ્રકારની મદદ મેળવી ચૂકી છે. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૩ થી ૧૫ ઓગષ્ટ હર ઘર તિરંગા ઉત્સવ અંતર્ગત સેન્ટરના છત પર રાષ્ટ્રધ્વજ લગાવી ઉજવણી કરવામાં આવી હતી .
(10:32 pm IST)