News of Tuesday, 13th July 2021
જગન્નાથજી મંદિરમાં દર વખતે અલગ ઉર્જા પ્રાપ્ત થાય છે : અમિતભાઇ
વર્ષોની પરંપરા મુજબ ગૃહમંત્રી અષાઢીબીજે મંગળા આરતીમાં સામેલ થયા
અમદાવાદ : છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ ગૃહમંત્રી અમિતભાઇએ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની અષાઢી બીજ નિમિતે મંગળા આરતી કરેલ. અમિતભાઇએ ટ્વીટ કરી જણાવેલ કે અમદવાદમાં જગન્નાથ મંદિરમાં ઘણા વર્ષોથી મંગળા આરતીમાં ભાગ લેતા આવ્યા છીએ. દરેક વખતે અહીં એક અલગ ઉર્જાની પ્રાપ્તી થાય છે. આજે પણ મહાપ્રભુની આરાધના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ. મહાપ્રભુ જગન્નાથ બધા ઉપર સદૈવ પોતાની કૃપા અને આશીષ બનાવી રાખે.
(3:27 pm IST)