પત્નીના આડા સંબંધથી કંટાળી કડીના પતિએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું
કડી:શહેરના આદુંદરા નર્મદા કેનાલમાંથી ૧૦ દિવસ અગાઉ સાંજના સુમારે પુરૂષની લાશ તરતી દેખાતા કડી પોલીસે બહાર નિકાળતા મરણજનાર યુવાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શીરવાડા ગામનો ભરતભાઇ બાબુલાલ જોષી હોવાનું ખુલતા તેના વાલીવારસોને જાણ કરી લાશને પોસ્મોટમ કરાવી કડી પોલીસે તપાસ હાથ ધરતા પત્નીના આડા સબંધ મામલે યુવાને આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવતા કડી પોલીસ મથકે મરણજનાર ભાઇના નિવેદનના આધારે પત્ની અને પ્રેમી સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડી પોલીસે લાશની તપાસ કરતા તેની પાસે રહેલા દસ્તાવેજી પુરવાઓના આધારે ભરતભાઇની ઓળખ થતા તેમના વાલીવારસોને જાણ કરી લાશનું કડી સરકારી દવાખાને પોસ્ટમોટમ કરાવી કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કડી પોલીસની પુછપરછ દરમિયાન મરણજનાર પત્નીના આડા સબંધ મામલે વારંવાર પતિ સાથે ઝઘડા થતા હોવાની વિગતો સામે આવતા કડી પોલીસે પત્નીની પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવે હતો.