ગુજરાત
News of Saturday, 13th January 2018

સિંચાઈના મુદ્દે ખેડૂતો ખફા :બાવળામાં મહાસંમેલન યોજાયું :સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ

અમદાવાદ ;સિંચાઈ સુવિધા સહિતના પ્રશ્ને ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે અમદાવાદના બાવળા ખાતે ખેડૂતોનુ મહાસંમેલન યોજયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

સિંચાઈના મુદ્દે માટે બાવળા સિંચાઈ વિભાગ કચેરી ખાતે ચાર તાલુકાના ખેડૂતોનુ મહાસંમેલન યોજાયુ હતુ. સંમેલનમાં સિંચાઈ માટે નર્મદા અને ધરોઈના પાણી ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી અને ખેડૂતોએ પોતાની 4 માંગોને લઈને સરકારને આગામી 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતું ફતેવાડી કેનાલમાં 1400 ક્યૂસેક પાણી છેડવાની માંગ કરવામાં આવી છે.

(12:02 pm IST)