ગુજરાત
News of Thursday, 12th August 2021

બાવળામાં નિવૃત આર્મી મેનની હત્યા : પોલીસ કર્મચારી સહિત 3 ઇજાગ્રસ્ત

કુટુંબીજનો વચ્ચે સામાન્ય બાબતે થયેલી તકરારમાં હથિયારો વડે હુમલો

અમદાવાદ નજીક બાવળા ખાતે એક નિવૃત્ત આર્મી જવાનની હત્યા થઈ છે. આ બનાવમાં પોલીસ કર્મચારી સહિત 3 ઇજાગ્રસ્ત બન્યા છે.
સામાન્ય બાબતે કુટુંબીજનો વચ્ચે અથડામણ થઈ હતી તેમાં આર્મીમેનની હત્યા થયેલ. અમદાવાદ પોલીસના કૃણાલ ગઢવી અને ૩ અન્ય વ્યક્તિઓ ઘાયલ થયેલ છે.
સામાન્ય બાબતે થયેલી તકરારમાં હથિયારો વડે  હુમલો થયો હતો. બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

(11:29 am IST)