સાણંદની આર.બી.પટેલ કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
કવિશ્રી ઉમાશંકર જોષીના નિવાસસ્થાન બામણા ગામ તેમજ ઐતિહાસિક નગર ઈડર ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :સાણંદની આર.બી.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગુજરાતી અને સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજીત કવિશ્રી ઉમાશંકર જોષીના નિવાસસ્થાન બામણા ગામ તેમજ ઐતિહાસિક નગર ઈડર ખાતે એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બામણા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક આવકાર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનું આયોજન કોલજના સમાજશાસ્ત્ર વિષયના ડૉ. રાજન ચૌહાણના આયોજનમાં કરવામાં આવ્યું હતું. જેને ગુજરાતી વિભાગના પ્રો.માયાબેન ઝાલા અને પ્રો. કુલદીપસિંહ વાઘેલાએ પૂર્ણ સહયોગ આપી સફળ બનાવ્યો હતો. બામણા કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ સુંદર આવકાર આપવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના જગદીશભાઈ જોશી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)