ગુજરાત
News of Wednesday, 10th August 2022

નર્મદા જિલ્લામાં કોરોનાએ ખાતું ખોલ્યું : RTPCR ટેસ્ટ માં 01 દર્દી કોરોના પોઝીટીવ આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આજે એક દર્દી કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લના નાંદોદ તાલુકાના અને રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામ તરફનો એક વ્યક્તિ કોરોનાની લપેટમાં આવ્યો છે આ દર્દીનો RTPCR ટેસ્ટ કરાતાં તે પોઝિટિવ આવ્યો છે અને હાલમાં હોમાં આઈસોલેસન માં હોવાનું ડો.કશ્યપે જણાવ્યું હતું. આમ નર્મદા જિલ્લામાં આજથી કોરોના એ ખાતું ખોલ્યું એમ કહી શકાય

 

(11:33 pm IST)