ધનસુરા તાલુકાના કોલવડાથી હમીરપુર રોડ નજીક અજાણ્યા શખ્સો દ્વારા ખાડામાં બે હજારથી વધુ મૃત મરઘાં ઠાલવી દેવામાં આવતા લોકોમાં આક્રોશ
ધનસુરા:તાલુકાના કોલવડાથી હમીરપુર રોડ પાસેના ખાડામાંથી અંદાજીત બે હજારથી વધુ મૃત મરઘા ઠાલવી જતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને દુર્ગધથી રોગચાળાની ભીંતી સેવાઈ લોકોમાં સેવાઇ રહી છે. મૃત મરઘાની યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ મામલે કોલવડા ગ્રામ પંચાયતે પોલ્ટ્રીફાર્મના માલિકને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
દેશભરમાં એક તરફ કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે.દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. ત્યારે ધનસુરા તાલુકાના કોલવડાથી હમીરપુર જવાના રોડ પાસેના ખાડામાં અંદાજીત બે હજારથી વધુ મૃત મરઘાનો જથ્થો ઠાલવી જતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ મૃત મરઘાનો જથ્થો કોઈ પોલ્ટ્રીફાર્મનો સંચાલક કે ૫છી અન્ય વ્યક્તિઓ ફરાર થઈ જતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહયો છે. ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા છે રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. ત્યારે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.