News of Thursday, 9th December 2021
અમદાવાદઃ સુપરસિટીમાં જિનાલયનો અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ
અમદાવાદઃ સાયન્સ સિટી નજીક ભાડજ ખાતેની સુપરસિટી ટાઉનશિપમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી તત્વત્રયી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ દ્વારા આ નિમિત્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ જિનાલયનું નિર્માણ અને મહોત્સવનું આયોજન કે.બી.ઝવેરી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. મહોત્સવમાં ગુરૂભગવંતો અને જૈનાચાર્યોએ પધરામણી કરીને આશીર્વચન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં ભકતોએ મહોત્સવનો ધર્મ લાભ લીધો હતો.(તસ્વીરઃ કેતન ખત્રી)
(2:32 pm IST)