મિત ગ્રૂપના સભ્ય મહેશભાઈ માછીનાં જન્મ દીને નર્મદા પરિક્રમાવાસીઓને ફ્રુટ વિતરણ કરી ઉજવણી કરાઈ
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા મિત ગ્રુપ ઘણા વર્ષોથી બ્લડ ડોનેટ સહિતના સેવકાર્યો કરી રહ્યું છે અને આ સેવકાર્યોના કારણે ઘણા સન્માન અને એવોર્ડ પણ મિત ગ્રૂપને મળ્યા છે છતાં સતત આવા લોકઉપયોગી કાર્યો કરતા આ ગ્રૂપના દરેક સદસ્યો તેમના જન્મ દિવસે પણ સેવા માટે ખડેપગે રહે છે.
આજરોજ તારીખ 8 ડિસેમ્બરે મિતગ્રુપ રાજપીપળાના સેવાભાવી અને ઉત્સાહી સદસ્ય મહેશભાઈ માછીના જન્મદિવસ નિમિત્તે નાંદોદ તાલુકાના રામપરા પાસેના શ્રી ધનેશ્વર મહાદેવ મંદિરના આશ્રમ ખાતે પરિક્રમાવાસીઓ માટે ખાસ ચાહ,નાસ્તો તથા ફ્રુટનું વિતરણ કરી માં નર્મદાના પરિક્રમાવાસીઓના આશીર્વાદ મેળવ્યા હતા, મિત ગ્રુપના સેવાકાર્યને આગળ ધપાવવા બદલ મિતગ્રુપના હોદેદારો અને સભ્યોએ મહેશભાઈનો આભાર વ્યક્ત કરી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.