ગુજરાત
News of Monday, 8th March 2021

અમદાવાદના નારણપુરામાં યુવકના મૃત્યુ બાદ હોબાળો પંકજ પરમારનું કન્સ્ટ્રકશનની સાઈટ પર કરુણમમોત

કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે મૃત્યુ થયાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો

 

અમદાવાદના નારણપુરામાં યુવકના મોત બાદ પરિવારે હોબાળો મચાવ્યો હતો. પંકજ પરમાર નામના યુવકનું મૃત્યુ થતા હોબાળો થયો હતો. પંકજ પરમાર નામના યુવકનું કન્સ્ટ્રકશનની એક સાઈટ પર મૃત્યુ થયું હતું. આક્ષેપ એવા છે કે, કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે મૃત્યુ થયું છે. તો આ સાથે પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, નારણપુરા પોલીસ દ્વારા તેમની ફરિયાદ પણ લેવાઈ નથી. પરિવારજનોના વિરોધને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને મામલો શાંત પાડ્યો હતો.

(1:01 am IST)