ગુજરાત
News of Wednesday, 8th February 2023

રાજપીપળા હાઉસિંગ બોર્ડમાં રમેશભાઈ શાસ્ત્રીના મધુર કંઠે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં ગુજરાત હાઉસીંગબોર્ડ એસોસિયેશન દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ શાસ્ત્રી 7 દિવસ પોતાના મધુર કંઠે ભક્તોને કથાનું રસપાન કરાવશે,ગત રોજ 7 ફેબ્રુઆરી થી કથાનો પ્રારંભ થઇ ગયો છે. શિવ મહાપુરાણ કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા દેવેન્દ્રસિંહ ઠાકોરના નિવાસ્થાનેથી હરસિધ્ધિ માતાજીના મંદિરે થઇને કથા મંડપે પહોંચી હતી.
કથાનો પ્રારંભ રાજપીપલા નાગરપાલિકના પૂર્વ પ્રમુખ હાલના સભ્ય ભરતભાઈ વસાવા, જગદીશ કહાર, ભાઈલાલભાઈ પરમાર સહીત હાઉસિંગ બોર્ડના આગેવાનો સહીત કાર્યકરો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

(10:21 pm IST)