સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાંથી છુટા કરાયેલા ૨૪ સ્થાનિક કર્મચારીઓને પરત લેવાયા
સરપંચ પરિષદની રજુઆત બાદ 24 સ્થાનિક કર્મચારીઓને પરત લેતા આભાર વ્યક્ત કર્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિલ્ડ્રન પાર્કમાંથી છુટા કરાયેલા 24 કર્મચારીઓને સરપંચ પરિષદના આવેદનપત્ર બાદ બીજા જ દિવસે નોકરી પર પરત લેવામાં આવ્યા છે.જેથી જિલ્લા કલેકટર,નર્મદા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ડેપ્યુટી કલેક્ટર સાથે જે સ્થાનિક કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ હતા એ બાબતે ચર્ચા વિચારણા કરતાં સ્થાનિક કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પરત નોકરી પર લેવામાં આવ્યા હોય સરપંચ પરિષદ ગુજરાત નર્મદાના પ્રમુખ નિરંજનભાઇ વસાવા. ભારતીબેન તડવી પૂર્વ ચેરમેન ગુજરાત બાળ આયોગ. તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવીના સહયોગથી આ તમામ 24 કર્મચારીઓને જિલ્લા કલેક્ટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટરે અમારી રજૂઆતને સાંભળી પરત લીધા માટે જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.