News of Monday, 5th December 2022
મતદાન કરી લોકશાહીના પર્વના રંગે રંગાતા નરહરિ અમીન
રાજકોટ :.. રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને આજે વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણમાં અમદાવાદના નારણપુરા મતક્ષેત્રમાં વિજય કોલોનીના મ્યુનિસીપલ હોલ ખાતેના મતક્ષેત્રમાં પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યુ હતું. શ્રી અમીન જુદા જુદા મતક્ષેત્રમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં સક્રિય રહ્યા હતાં.
(4:09 pm IST)