લીવ વેલ હોસ્પિટલ દ્વારા -ડોકટરોની તબિયત સુધારવાની કોન્ફરન્સ
(કેતન ખત્રી)અમદાવાદઃ લિવ વેલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત ડોકટર માટેની કોન્ફરન્સ લિવવેલકોન ૨૦૨૨નું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતુ. આ કોન્ફરન્સમાં ૬૦૦થી વધારે ડોકટરોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સના અતિથિ વિશેષ તરીકે અમદાવાદ પોલીસ કમિશનર શ્રીસંજય શ્રીવાસ્તવ સરે હાજરી આપી. અને ડોકટરોએ મેડીકો લીગલ કેસ વિષે માર્ગદર્શન આપ્યુ હતું આઇપીએસ ઓફિસર ડો.લવીના સિન્હાએ પોતાના અનુભવ શેર કર્યા હતા. આ ઉપરાંત પબ્લિક સ્પીકર જય વસાવડા અને સંજય રાવલે કોન્ફરન્સમાં હાજર રહેલા તમામ ડોકરટોને જીવનના જુદા જુદા પાસા વિષેનું માર્ગદર્શન આપ્યુ હતું. આ કોન્ફરન્સના આયોજક અને લીવવેલ હોસ્પિટલના પેઇન અને સ્પાઇન સ્પેશ્યાલીસ્ટ ડો.હિતેશ પટેલે જણાવ્યુ હતું કે છેલ્લા આઠ વર્ષથી થતી આ કોન્ફરન્સની અંદર ડોકરટોના જીવન ને લગતા જુદા જુદા વિષયો વિષેની ચર્ચા કરવામાં આવે છે.