પૈસાની વસુલાત કરવા માટે ખોંખારવાડાના પતિએ પત્નીનું અપહરણ કરાવ્યું
કઠલાલ:તાલુકાના ખોખરવાડામાં ઉછીના આપેલા નાણાંની વસુલાત પેટે એક ઈસમ પરિણીતાનું બોલેરો કારમાં બેસાડી અપહરણ કરી ગયાના બનાવે ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના ખોખરવાડામાં રહેતા અસ્ફાકઅલી તૈયબઅલી ખોખરે થોડા સમય પહેલાં તાહીર અલી ઉર્ફે બાબુ અબ્દુલમીયાં ખોખર પાસેથી રૂપિયા ૧,૭૮,૦૦૦ ઉછીના લીધા હતા. આ પૈસાની ચૂકવણીમાં વિલંબ થતાં તાહીરઅલી ખોખરે ગત તા.૩૧-૧૨-૧૭ ના બપોરે અસ્ફાકઅલીના ઘરે જઈ તેની પત્નિ શીરીનબાનું ને બળજબરી પૂર્વક સફેદ બોલેરો કાર નં.જીજે-૦૭ -૬૭૮૬ માં ઉઠાવી બેસાડવામાં જતો હતો ત્યારે મદીનાબાનું શીરીનબાનુને છોડાવવા જતા તાહીરઅલીએ મદીના બીબીને સાથળ ઉપર લાઠી મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ તાહીરઅલી ખોખર, આમીર અલી ખોખરની મદદથી પૈસાની વસુલાત પેટે શીરીન બાનુને બળજબરીપૂર્વક ઉઠાવી કારમાં અપહરણ કરી ગયો હતો.
આ બનાવ અંગે અસ્તાફઅલી તૈયબઅલી ખોખરની ફરિયાજ આધારે કઠલાલ પોલીસે તાહીરઅલી ઉર્ફે બાબુ અબ્દુલમીયાં ખોખર તથા આમીરઅલી ગુલામનબી ખોખર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.