ગુજરાત
News of Saturday, 2nd July 2022

આપણો ભારત દેશ મહાન અને ઉત્સવ પ્રિય છે, જયાં હંમેશા ઉત્સવ સમૈયા થતા રહે છે.: સ્વામી માધવપ્રિયદાસજી : ગુરુકુલના માધ્યમથી સંસ્કાર યુક્ત શિક્ષણની સુવાસ દેશ વિદેશમાં વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

રથયાત્રાના સમાપન બાદ મેમનગર ગુરુકુલમાં યોજાયેલ મહાસભા: પાંચેક હજાર ઉપરાંત ભકતો જગન્નાથ ભગવાનની મહાઆરતિમાં જોડાયા અને પ્રસાદ ગ્રહણ કર્યો

અમદાવાદ તા. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છેલ્લા ૧૫ વરસથી મેમનગર ગુરુકુલ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

એજ રીતે વરસે પણ મેમનગર ગુરુકુલ દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ.

રથયાત્રાના પ્રસ્થાન પહેલા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વેદના ગાન સાથે ઠાકોરજીનૂં પૂજન કર્યું હતું ત્યારબાદ ૧૦૮ બહેનોએ પંચોપચાર પૂજન કરી જગન્નાથ ભગવાની આરતિ ઉતારી રક્ષાસુત્ર બાંધ્યું હતું.

ઠાકોરજીના મુખ્ય રથની સાથે બીજા સામાજિક ધાર્મિક થીમ આધારિત ૧૫ જેટલા રથો જોડાયા હતા.

દર્શનાર્થીઓને ખોબે ખોબે મગ, કાકડી અને ખારેકની પ્રસાદી વહેંચવામાં આવી હતી.

બે પ્રારંભ થયેલ નગરયાત્રા કરી રથયાત્રા સાંજે કલાકે મેમનગર ગુરુકુલમાં પહોંચી વિશાળ સભાના રુપમાં ફેરવાઇ ગઇ હતી.

સામાન્ય રીતે આવી મોટી નગરયાત્રા દરમ્યાન પ્લાસ્ટીકની થેલીઓ, પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતો હોય છે. રથયાત્રા  પાછળ પડેલ તમામ કચરો ગુરુકુલના સંતો સાથે સ્વયં સેવકોએ એકઠો કરી, યોગ્ય નિકાલ કર્યો હતો. તમામ સ્વયંસેવકોનુ સભામાં સન્માન કરવામા આવ્યું હતું.

વિદેશ યાત્રાપ્રવાસ કરી રહેલ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જગન્નાથ મંદિરનો ઇતિહાસ અને રથયાત્રાનો ઇતિહાસ કહ્યો હતો અને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીનું મંદિર ખૂબ વિશાળ છે. મંદિર દસ એકરમાં પથરાયેલ છે.સમુદ્રની સપાટીથી મંદિરની ઊંચાઈ ૨૧૪ ફુટ છે. મંદિરના શિખર ઉપર વિશાળ સુદર્શન ચક્ર છે.

આપણો ભારત દેશ મહાન અને ઉત્સવ પ્રિય છે જયાં હંમેશા ઉત્સવ સમૈયા થતા રહે છે.

 અર્વાચીન યુગમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પરંપરાનો સફળ પુનરોદ્ધાર કરનાર પારપ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૧મી જન્મજયંતી પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે જે અનેક કષ્ઠો વેઠીને ગુરુકુલની સ્થાપના કરેલ તેની વાતો કરી જણાવ્યું હતું કે ગુરુકુલના માધ્યમથી સંસ્કારયુક્ત શિક્ષણની સુવાસ દેશ વિદેશમાં વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ છે.

     સભા પૂર્ણ થયા બાદ તમામ ભકતોને ગુરુકુલ મેમનગરમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.

- કનુ ભગત

(1:01 pm IST)