ગુજરાત
News of Monday, 2nd May 2022

વાઘોડીયા ગામે જમીનના ભાગ બાબતે માર મરનાર બે સામે આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામમાં જમીન બાબતે બે પક્ષો માથાકૂટ થતાં આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે

પ્રાપ્ત માહિતી અનુસાર સુમિત્રાબેન  ભરતભાઇ વસાવા( રહે વાઘોડીયા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ વીષ્ણા બેન પોતાના ઘરે હાજર હતા તે વખતે ત્યા વિપુલભાઇ ગુમાનભાઇ વસાવા આવી કહ્યું કે તમારા ભાગની જમીન આવેલ છે,તે અમોને આપીદો અને તમે ગામ છોડીને જતા રહો તેવુ કહેતા સુમિત્રાબેને જણાવેલ કે અમારા પતી મરી ગયા છે, જેથી તમે અમોને હેરાન કરો છો. અમો અમારા પતીની મીલકતમા રહીએ છીએ તેમા તમને સુ વાધો છે. તેવુ કહેતા વિપુલ ઉશ્કેરાઈ જઈ સુમિત્રા બેન અને વીષ્ણાબેનને ગમે તેમ ગાળો બોલ વાંસની કામડીથી બરડાના પાછળના ભાગે મારી ઈજા કરી તેમજ ઢીકા પાટુનો માર મારી તેમજ વાંસની કામડીથી જમણા પગના ઘુટણ પાસે મારી ઈજા કરી તથા ગુમાનભાઇ જીત્યાભાઇ વસાવા એ ત્યા આવી ધીકા પાટુનો માર મારી આ બન્ને એ ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:18 pm IST)