ગુજરાત
News of Tuesday, 2nd March 2021

રાષ્ટ્રપતિના બંદોબસ્ત દરમિયાન ગેરહાજર 11 પોલીસકર્મીઓને ફરજ મોકૂફ કરવા આદેશ

4 LRD, 2 PC, 1 HC, 2 WLR અને 2 WPC ને ફરજ મોકુફીની કાર્યવાહી

અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કૉવિંદ ના બંદોબસ્ત દરમ્યાન શિસ્ત ભંગ કરવા બદલ અમદાવાદ પોલીસ અધિકારીની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે 24 ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અમદાવાદ આવ્યા હતા. જે દરમિયાનમાં પોલીસને ફાળવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન ગેરહાજર પોલીસ કર્મચારી વિરુદ્ધ અમદાવાદ શહેર જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

(10:10 pm IST)