વિરમગામના ધરાવાળા આઈ શ્રી ખોડીયાર મંદિરના 21મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
પાટોત્સવ નિમિત્તે આઈ શ્રી ખોડીયાર મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ઐતિહાસિક વિરમગામ શહેરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે આવેલા ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવની કારતક સુદ પૂનમના પાવન દિવસે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 21 મા પાટોત્સવ નિમિત્તે આઇ શ્રી ખોડીયાર માતાજીની મુર્તિનો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી ભક્તો ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ નિમિત્તે ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે સવારમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રી ફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે મહા આરતી કરવામાં આવી હતી. ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે પાટોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્તોએ જહેમત ઉઠાવી હતી.