ગુજરાત
News of Wednesday, 1st September 2021

વિરમગામમાં જય શ્રી મેલડી માતાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરાયો

પાટોત્સવ નિમિત્તે જય શ્રી મેલડી માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા પાસે આવેલા જય શ્રી મેલડી માતાજી યુવક મંડળ દ્વારા બુધવારે જય શ્રી મેલડી માતાજી મંદિરે 23માં પાટોત્સવ  નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ભક્તોએ નવચંડી યજ્ઞ તથા જય શ્રી મેલડી માતાજીના દર્શનનો અમુલ્ય લાભ લીધો હતો. પાટોત્સવ ના પાવન દિવસે જય શ્રી મેલડી માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જય શ્રી મેલડી માતાજી ના મંદિર પર નવી ધજા ચડાવવામાં આવી અને આરતી કરવામાં આવી હતી.

(6:46 pm IST)