Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વડોદરાના ગોરવા ગણેશનગર વિસ્તારમાં 54 વર્ષીય પ્રૌઢે રહસ્યમય સંજોગોમાં ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરનાગોરવા ગણેશનગરમાં રહેતા ૫૪ વર્ષના પ્રૌઢે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે.પોલીસને મળેલી અંતિમચિઠ્ઠીમાં નાણાંકીય લેવડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય  પોલીસે તે દિશામાં  વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગોરવા ગણેશનગરમાં રહેતા રાજેન્દ્ર શંકરરાવ સૂર્યવંશી (ઉં.વ.૫૪ ) અગાઉ સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા હતા.પરંતુ,તેમને કોરોના થતા નોકરી છૂટી  ગઇ હતી.અને છેલ્લા છ મહિનાથી તેઓ ઘરે જ હતા.તેમનો પુત્ર દીવ  રહે છે.જ્યારે પુત્રી વલસાડમાં રહે છે.આજે સવારે રાજેન્દ્રભાઇએ પત્નીને બહેનની ખબર જોવા મોકલી હતી.તે દરમિયાન તેમણે ઘરે ફાંસો ખાઇ લીધો હતો.પત્ની પરત ઘરે આવી ત્યારે પતિના આપઘાતની જાણ થઇ હતી.ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૃ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને મૃતકની અંતિમચિઠ્ઠી મળી આવી  હતી.જેમાં એક લાખ રૃપિયાની લેવડ દેવડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાજેન્દ્રભાઇએ એક લાખ રૃપિયા ઉછીના લીધા હતા.તે બાબતે તકરાર થતા તેઓ ટેન્શનમાં રહેતા હતા.પોલીસે અંતિમચિઠ્ઠી બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:41 pm IST)