Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજયમાં કોરનાની બીજી લહેર !

૮ દિવસમાં ૧૨૩ના મોતઃ નવેમ્બર મહિનાના કુલ મૃત્યુઆંકના ૪૯.૨ ટકા

અમદાવાદ, તા.૩૦: રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ -૧૯દ્ગક્ન નવા ૧,૫૬૪ કેસ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, આ સાથે હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૦૮૨૭૮ પર પહોંચી છે. જયારે વાયરસના કારણે વધુ ૧૬ દર્દીઓના મોત બાદ કુલ મૃત્યુઆંક ૩૯૬૯ પર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાથી થતાં મોતનો આંકડો બે ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. રવિવારના રોજ પૂરા થતાં આઠ દિવસમાં ૧૨૩ દર્દીઓના મૃત્યુ થયા છે, જે આખા નવેમ્બર મહિનાના કુલ મૃત્યુઆંકના ૪૯.૨% છે.

રાજયમાં દિવસ દરમિયાન કુલ ૬૮,૯૬૦ પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જે એક અઠવાડિયામાં સૌથી ઓછા છે. એક જ દિવસમાં ગુજરાતમાં કોવિડ - ૧૯ માટે સૌથી વધારે પરીક્ષણ ૨૫ નવેમ્બરના રોજ (૯૧,૪૫૯) કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે આ આંકડો ૭૦૮૨૦ પર થયો અને ત્યારબાદથી નીચે જ રહ્યો. ગુજરાતની કોવિડ હોસ્પિટલોએ નોંધ્યુ કે ઘરમાં રહેતા દર્દીઓની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં પહોંચવાની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે; આવા કિસ્સા ૧દ્મક ૨૫ નવેમ્બર દરમિયાન ૫૨ વખત વધ્યા છે, એકલા ૨૫ નવેમ્બરના રોજ ૧૦૪ કેસ આવી ગયા છે.

રવિવાર સુધી છેલ્લા એક અઠવાડિયામાં રાજયમાં ૫૨૪,૫૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૦૮૬૬ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, દર ૧૦૦ લોકોમાં બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના આશરે ૪૦ સ્ટાફને ડબ્લ્યુએચઓ પ્રોટોકોલ મુજબ કોવિડ દર્દીઓના મૃતદેહોને ડિસઈન્ફેકટ અને નિકાલ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

જિલ્લા મુજબ અમદાવાદમાં ૩૪૫ કેસ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં ૨૭૮, વડોદરામાં ૧૭૧, રાજકોટમાં ૧૪૯, ગાંધીનગરમાં ૫૮, ખેડામાં ૫૭, મહેસાણામાં ૫૧, સુરેન્દ્રનગરમાં ૪૦, બનાસકાંઠામાં ૩૮, જામનગરમાં ૩૫, પંચમહાલમાં ૩૩, પાટણમાં ૩૦, જૂનાગઢમાં અને ભાવનગરમાં ૨૯-૨૯, આણંદમાં ૨૮, દાહોદમાં ૨૬, કચ્છમાં ૨૨, ભરૂચમાં ૨૦, અમરેલી અને સાબરકાંઠા ૧૮-૧૮, મોરબી અને મહિસાગરમાં ૧૬-૧૬, અરવલ્લી ૧૧, ગીર સોમનાથ ૯, બોટાદ અને નવસારીમાં ૮-૮, નર્મદામાં ૬, તાપીમાં ૫, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ૩-૩, વલસાડ અને છોટા ઉદેપુરમાં ૨-૨ કેસ નોંધાયા છે. ૧૬ મોતમાંથી ૧૧ અમદાવાદમાં, ૩ સુરતમાં અને ૧-૧ ભરૂચ અને ખેડામાં નોંધાયા છે.

ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોમાં નવો વધારો થતાં રાજયના આરોગ્ય વિભાગે ફરીથી ઓકિસજન ઉત્પાદન એકમોને તેમના ઉત્પાદનના ૫૦ ટકા તબીબી ઉપયોગ માટે રાખવા નિર્દેશ આપ્યો છે, જેથી તે કોરોનાવાયરસ દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. રાજયના આરોગ્ય વિભાગે ૧૦ સપ્ટેમ્બરે આવું જ એક જાહેરનામું બહાર પાડ્યું હતું.

(3:50 pm IST)