Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોના સંક્રમિત થયેલા સુરતના મેયર જગદીશ પટેલની તબિયત લથડી: હૉસ્પિટલમાં ખસેડાયા

ઓક્સિજન લેવલ ઘટ્યાં બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા : તબિયત સ્થિર

સુરત: ગત અઠવાડિયે કોરોના સંક્રમિત  થયેલા સુરત શહેરના મેયર ડૉક્ટર જગદીશ પટેલને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ઓક્સિજન લેવલ ઘટ્યાં બાદ તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હૉસ્પિટલ ખાતે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કોઈ ચિંતાજનક વાત ન હોવાનું સામે આવ્યું છે, તેમજ ફક્ત તકેદારીના ભાગરૂપે તેમના દાખલ કરાયા હોવાનું સૂત્રોનું કહેવું છે

 

 અત્રે  ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ સુરતના મેયરને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

(11:31 am IST)