Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

રાજ્‍યના ૪૭ બીન હથીયારી પીઆઇની અને ૧૨૭ પીએસઆઇની બદલી

રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ ગઢવીને બનાસકાંઠા મુકાયાઃ ભાવનગરના એ. સી. ડામોરની રાજકોટ ગ્રામ્‍યમાં બદલીઃ રાજકોટ શહેરના ૮ અને ગ્રામ્‍યના ૩ પીએસઆઇ બદલાયા

અમદાવાદ, આઇબી, વડોદરા, કચ્‍છના ચાર પીએસઆઇ રાજકોટ શહેરમાં મુકાયા

રાજકોટ તા. ૨૯: રાજ્‍યના પોલીસબેડામાં પીઆઇ અને પીએસઆઇની બદલીનો ઘાણવો નીકળ્‍યો છે. જેમાં ૪૭ બીન હથીયારી પીઆઇની બદલી થઇ છે. જેમાં રાજકોટ ગ્રામ્‍યના પીઆઇનો સમાવેશ થાય છે. જ્‍યારે ૧૨૭ પીએસઆઇની પણ બદલીના ઓર્ડર નીકળ્‍યા છે. જેમાં રાજકોટ શહેરના ....પીએસઆઇ સામેલ છે.

રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ ડી.આર. ગઢવીની બનાસકાંઠા બદલી થઇ છે. જ્‍યારે ભાવનગરના એ. સી. ડામોરને રાજકોટ ગ્રામ્‍યમાં મુકવામાં આવ્‍યા છે. આ ઉપરાંત સુરેન્‍દ્રનગરના એમ. ડી. ચોૈધરીની વડોદરા, ભાવનગરના પી.આર. મેટાલીયાની બોટાદ ખાતે બદલી થઇ છે. તેમજ દાહોદના ડી.એમ. હરીપરાને રાજકોટ શહેરમાં મુકાયા છે.

જ્‍યારે રાજ્‍યના ૧૨૭ પીએસઆઇની બદલી થઇ છે તેમાં રાજકોટ શહેરના એચ. બી. ગઢવી, ટી. ડી. ચુડાસમા, જી. એસ. ગઢવી, એમ. ડી. વાળા, એમ. એ. વાઘેલા, કે. કે. પરમાર, જે. કે. ગઢવી અને એ. એમ. મહેતાનો સમાવેશ થાય છે. જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યના જે. યુ. ગોહિલ, વી. બી. ચોૈહાણ, બી. એલ. ઝાલાની પણ બદલી થઇ છે.

જ્‍યારે અમદાવાદના અલ્‍પાબેન આર. ડાંગર, આઇબીના કોૈશલ એચ. રાવલ, વડોદરાના ડી. એસ. ગજેરા તથા કચ્‍છના બલભદ્રસિંહ વી. ચુડાસમાને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્‍યા છે.

 

 

(11:52 am IST)