Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વડોદરા:વારસિયા વિસ્તારમાં ભંગારના પૈસાની લેવડ દેવડમાં ગળા ટૂંપો દઈ શખ્સની હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા : વારસિયા વીમા દવાખાના પાસે રહેતા સુશીલાબેન મનોજભાઇ ચૌહાણ કાગળ વીણવાનું કામ કરે છે.વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વીસ વર્ષ અગાઉ મારા લગ્ન રાજુ ભાઉરાવ શિંદે સાથે ફૂલહારથી થયા હતા.લગ્ન જીવન દરમિયાન બે સંતાનો છે.પતિના મોત પછી મારે કોઇ આધાર નહી રહેતા મેં મનોજ મોતીભાઇ ચૌહાણ સાથે ૧૦ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.હું અને મારા બંને પુત્રો મનોજ સાથે રહેતા  હતા.મારા બંને પુત્રોના નામ પાછળ પિતાનંમ નામ મનોજ ચૌહાણનું લખાય છે. મારા  પતિ મનોજ ચૌહાણ હાથીખાનામાં ગાડીઓ ખાલી કરવાની મજૂરી કરે છે.ત્યારબાદ તેઓએ આ કામ બંધ કરી દઇ ભંગાર વીણવાનું કામ શરૃ કર્યુ હતું.તેમની સાથે ભંગાર વીણવા માટે વારસિયા જૂના આર.ટી.ઓ.ની પાછળ  રહેતા મુકેશ કનુભાઇ વસાવા પણ જતા હતા.મારા  પતિ અને મુકેશ વચ્ચે મિત્રતા થઇ ગઇ હતી.તેઓ અવાર-નવાર સાથે ભંગાર વીણવા જતા હોઇ ઝઘડા થતા હતા.તેની અદાવત રાખી મુકેશે મારા પતિ મનોજની હત્યા કરી હતી. વારસિયા પોલીસે  હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.પી.આઇ.વી.પી.ચૌહાણે આરોપી મુકેશ વસાવાને ઝડપી પાડયો હતો.પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે,ભંગારના  પૈસાની લેવડ દેવડ બાબતે તકરાર થતા આરોપી મુકેશે મરનાર મનોજને વારસિયા સત્યમ એપાર્ટમેન્ટની પાછળ બોલાવી માથાના ભાગે ઇંટ મારતા મનોજ નીચે પડી ગયો હતો.ત્યારબાદ અન્ય સહઆરોપીઓ ગણેશ ઉર્ફે ભૂરિયો બચુભાઇ પટેલે મનોજના હાથ  પકડી રાખ્યા હતા.મુકેશ વસાવા તથા પંકજ પન્નાલાલ બારિયા (રહે.હિરા શક્તિ મહોલ્લો, વારસિયા)એ મનોજને ગળા ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો.

(7:04 pm IST)