Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સુરતના વેસુ વિસ્તારમાં પરિણીતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર કાપડ વેપારી પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના વેસુ વાસ્તુગ્રામ રેસીડન્સીમાં રહેતા કાપડ વેપારી સાહિલ સોહનલાલ ગોગીયાની પત્ની જ્યોતિ ( ઉ.વ.33 ) એ મંગળવારે સાંજે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેને આત્મહત્યા કરવા મજબુર કરનાર તેના પતિ, સાસુ હરદેશબેન, સસરા સોહનલાલ વિસંનદાસ અને નણંદ શીબા વિરુદ્ધ ઉમરા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીદાબાદમાં રહેતા નિવૃત્ત સરકારી દંપત્તિની એમ.ટેકનો અભ્યાસ કરનાર જ્યોતિએ ડિવોર્સી વેપારી સાહિલ સાથે લગ્ન કર્યા હતા.લગ્નજીવનમાં રૂ.8 લાખ પડાવનાર સાહિલ અને સાસરીયાઓએ અગાઉ છૂટાછેડા વખતે પહેલી પત્નીને આપેલા રૂ.28 લાખ સરભર કરવા પૈસા લાવવા દબાણ કરી મારઝૂડ પણ કરી હતી.

દરમિયાન, ઉમરા પોલીસે આ બનાવમાં ગતરોજ જ્યોતિના પતિ સાહિલ સોહનલાલ ગોગીયા ( પંજાબી )( ઉ.વ.34 ) અને સસરા સોહનલાલ વીસંનદાસ ગોગીયા ( ઉ.વ.59 ) ( બંને રહે.ઇ-509, વાસ્તુગ્રામ રેસીડન્સીની સામે, વેસુ, સુરત. મુળ રહે. મકાન નં.1367, ડી બ્લોક, મોડેલ ટાઉન એક્ષ્ટેન્શન, લુધિયાણા, પંજાબ ) ની ધરપકડ કરી હતી.

(7:00 pm IST)