Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અરવિંદ કેજરીવાલ રાત્રે સુરતમાં: કાલે ભરૂચમાં આદિવાસી સંમેલન

રાજકોટ તા. ૩૦ :.. આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીનાં મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત અને કાલે ભરૂચના પ્રવાસે આવી રહ્યા છે.
દિલ્‍હી મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આજે રાત્રે ૯ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. અને સુરતમાં રાત્રી રોકાણ કરશે.
કાલે ૧ તારીખે ભરૂચ ખાતે આદિવાસી સંમેલનને સંબોધશે.

 

(11:43 am IST)