Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

આનંદીબેન પટેલ ફરી બની શકે છે યુપીના રાજ્યપાલ ! કેટલાક રાજ્યોના ગવર્નરો બદલવાની તૈયારી

ગુજરાતના મોટા ગજાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તથા હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ એકમાત્ર એવા રાજ્યપાલ બની શકે છે કે જેઓનો કાર્યકાળ પૂરો થયા બાદ ફરીથી કોઈ રાજ્યના રાજ્યપાલ બને.
ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આવતા મહિને દેશના અડધા ડઝન રાજ્યોને નવા રાજ્યપાલ મળે તેવી શક્યતા છે.  વાસ્તવમાં પાંચ રાજ્યોના રાજ્યપાલનો કાર્યકાળ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે પૂરો થવા જઈ રહ્યો છે.  આ જોતાં રાજ્યપાલોની જગ્યાઓ ભરવી જરૂરી છે.
જે રાજ્યોના રાજ્યપાલો તેમનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે તેમાં ઉત્તર પ્રદેશના આનંદીબેન પટેલ, મેઘાલયના સત્યપાલ મલિક, આસામના જગદીશ મુખી અને અરુણાચલના બી ડી મિશ્રાનો સમાવેશ થાય છે.  જો આપણે મણિપુર રાજ્યની વાત કરીએ તો તે જગ્યાની જવાબદારી પશ્ચિમ બંગાળના રાજ્યપાલની છે.  ગણેશને આ કાર્યભાર સંભાળ્યો છે.  આ મુજબ, મણિપુરમાં નવા રાજ્યપાલની નિમણૂકની દરેક શક્યતા છે.
આનંદીબેન પટેલ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે.  તેમનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે, તેઓ હવે અન્ય રાજ્યના રાજ્યપાલ બને અથવા યુપીના બીજી વખત રાજ્યપાલ બને તેવી શક્યતા છે.  તે એકમાત્ર એવા રાજ્યપાલ બની શકે છે, જે કાર્યકાળ પૂર્ણ થયા બાદ ફરીથી અન્ય રાજ્યના રાજ્યપાલ બને છે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યોના રાજ્યપાલને અન્ય રાજ્યની જવાબદારી સંભાળવાની તક મળી શકે છે.  જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સામેલ છે.
જ્યારે કેટલાક રાજ્યપાલ એવા છે જેમને તેમના સ્વાસ્થ્યના કારણોસર હટાવવામાં આવશે.  જેમાં બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ અને હરિયાણાના રાજ્યપાલ બંગારુ દત્તાત્રેયનો સમાવેશ થાય છે.

(10:33 pm IST)