Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા:વધુ 408 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,17.623 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 59.218 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2914 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 529 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 408 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.17.623 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.87 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 59.218  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,13,61.977 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 2914 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં બે દર્દી વેન્ટિલેટર પર છે,અને 22912 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 529 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, સુરત અને વલસાડમાં 20-20 કેસ,કચ્છ અને નવસારીમાં 13-13 કેસ, મહેસાણા અને રાજકોટ કોર્પોરેશનમાં 12-12 કેસ, ભરૂચ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 10-10 કેસ, ગાંધીનગરમાં 8 કેસ,જામનગર કોર્પોરેશનમાં 7 કેસ,અમદાવાદ અને વડોદરામાં 6-6 કેસ, આણંદ અને પાટણમાં 5-5 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ,, દાહોદ,પંચમહાલ,સાબરકાંઠામાં 3-3 કેસ,અમરેલી,બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા,મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભાવનગર,ગીર સોમનાથ, જામનગર, ખેડા, અને રાજકોટમાં 01-01 કેસ નોંધાયા છે.

(7:48 pm IST)