Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે આજે પણ ફક્ત 1 નવો પોઝિટિવ કેસ નોંધાયો : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયો : આજે કોઈ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : કુલ મૃત્યુઆંક 11,046 થયો : કુલ 12.66.591 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 514 લોકોનું રસીકરણ કરાયું : રાજયમાં હાલમાં 12 કોરોનાનાં એક્ટીવ કેસ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો ફક્ત 1 કેસ પોઝિટિવ કેસ વડોદરા શહેરમાં નોંધાયો છે, જયારે વધુ 1 દર્દી સ્વસ્થ થયો છે. અત્યાર સુધીમાં કુલ 12,66,591 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું, જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે, તો સામે રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં આજે વધુ 514 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.31,138 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 12 એક્ટિવ કોરોના ના કેસ છે, જેમાંથી બારેય દર્દીઓ સ્ટેબલ હાલત માં છે.

(7:08 pm IST)