Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં નર્મદા જિલ્લાના 5 તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં નર્મદા જિલ્લાના હોદેદારોમાં પ્રભારી તરીકે જયદીપસિંહ રાઠોડ,પ્રમુખમાં ભરતકુમાર શાહ અને મહામંત્રી તરીકે ઇકરામ મલેકની વરણી બાદ આ ત્રણેય હોદ્દેદારો દ્વારા અજરોજબ જિલ્લાના પાંચ તાલુકા માટેના હોદેદારો ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં નાંદોદ તાલુકામાં ઉપ પ્રમુખ અજય.એસ. વસાવા, મંત્રી વહાબ એ.શેખ,ગરડેશ્વર તાલુકામાં ઉપ પ્રમુખ ગૌતમ એન.વ્યાસ અને મંત્રી આફ્રિદી એફ. મન્સૂરી,તિલકવાડા તાલુકામાં ઉપ પ્રમુખ છગનભાઇ. એમ. પરમાર, મંત્રી ઈરફાન. એસ.બલુચી, ડેડીયાપાડા તાલુકમકામાં ઉપ પ્રમુખ છત્રસિંહ .કે.રાઠોડ, મંત્રી જયદીપ.એચ. વસાવા અને સાગબારા તાલુકામાં પ્રમુખ જગદીશચંદ્ર. સી. શાહ અને મંત્રી દીનેશકુમાર. બી.વસાવા ને જવાબદારી સોંપવામાં આવી છે. આમ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં નર્મદા જિલ્લાના 5 તાલુકા ઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

(11:34 pm IST)