Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

શેરગઢમાં યુવતી પર હુમલાના વિરોધમાં આજે રાધનપુર બંધ

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૨૯ : . રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં ગુરૃવારે બપોરના સમયે ઘરમાં ઘુસીને એકલી યુવતી પર યુવક દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાને પગલે સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ ઘટનાને પગલે ચૌધરી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શનિવારે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

શેરગઢ ગામે હિન્દુ યુવતી પર યાસીન નામના યુવક દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાને પગલે હિન્દુ સંગઠનો અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા આદર્શ હાઈસ્કૂલ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે સવારે ૧૧ વાગ્યે આદર્શ હાઈસ્કૂલથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. યુવતી પર હુમલો કરનાર યુવકને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફરી આવી કોઈ ઘટના ન બને તેવી માંગ કરવામાં આવી છે.(

(3:40 pm IST)