Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ડો,તોગડિયાને શોધવા ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી અરજી પાછી ખેંચવા રણછોડ ભરવાડની માંગ

વિહિપના મહામંત્રી રણછોડ ભરવાડે પત્ર લખીને કહ્યું તોગડીયા અને વિહિપના કાર્યકરોને હેરાન નહીં કરો

 

અમદાવાદ ;વિહિપના આંતરરાષ્ટ્રીય  કાર્યકારી અધ્યક્ષ ડો,પ્રવીણ તોગડિયા બે દિવસ પહેલા ગાયબ થતા વિહિપના મહામંત્રી રણછોડ ભરવાડે પ્રવીણ તોગડિયાને શોધી લાવવા માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં અરજી કરી હતી.જોકે, પ્રવીણ તોગડિયા બેભાન અવસ્થામાં બે દિવસ પહેલા મળી આવ્યા હતા.ત્યારે હવે વિહિપના મહામંત્રી રણછોડ ભરવાડે પ્રવીણ તોગડીયાને શોધવા ક્રાઈમબ્રાંચમાં કરેલી અરજી પાછી ખેંચવા માગ કરી છે.

  રણછોડ ભરવાડે એક અરજી આપી છે.સાથે ક્રાઈમબ્રાંચને પત્ર લખીને કહ્યું છે કે ડો,તોગડિયા અને વિહિપ કાર્યકરોને હેરાન નહીં કરવા માંગણી કરી છે

(11:57 pm IST)