Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ખેડા: જુદા-જુદા અપમૃત્યુના બે બનાવામાં બે મોતને ભેટ્યા

ખેડા:જિલ્લામાં નડિયાદના વૃધ્ધ તેમજ ડાકોરના આધેડ પુરૂષના અપમૃત્યુના બનાવ અંગે પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનાઓ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

પોલાસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ અમરદીપ સોસાયટીમાં રહેતાં દલસુખભાઈ જાદવભાઈ દરજી (ઉં.વ ૬૬) આજે સવારે વૈશાલી નજીક રેલ્વે લાઈન ક્રોસ કરતાં હતાં ત્યારે આણંદ તરફ જતી મોડાસા ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજા થઈ હતી. જેથી દલસુખભાઈ દરજીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં ડાકોર ગોપાલપુરામાં ઉજ્જવલસિંહ દિલીપસિંહ રાઉલજી (મૂળ રહે - રખિયાલ) પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરે તેમના પિતા દિલીપસિંહ ઘરેથી નિકળ્યા હતાં જે ઘરે પરત આવ્યા ન હતાં. આ દરમિયાન આજે સવારે ડાકોર બિલેશ્વર મહાદેવ નજીક ખેતરમાંથી દિલીપસિંહ રાઉલજી (ઉં.વ ૫૨) મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. આ બનાવ અંગે ઉજ્જવલસિંહ રાઉલજીએ જાણ કરતાં ડાકોર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:16 pm IST)