Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘુસતા નાસભાગ : ગેહલોતે કહ્યું - ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે

તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જ્યારે જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે.

યુટ્યુબ લિંક : https://youtu.be/IoEbNyd70Gk

 

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણય પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે,વિવિધ સ્થળોએ પ્રચારનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી  શાહે ગુજરાતમાં પ્રચાર કમાન સંભાળી છે,કોંગ્રેસમાં અશોક ગહેલોત સહિત કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો અને લોકોમાં આખલાને પગલે નાસભાગ મચી હતી જે મુદ્દે અશોક ગહેલોત ભાજપ પર પ્રહાર કર્યા હતાં

  મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો જેના પગલે સભા સ્થળે લોકોમાં નાસભાગ મચી હતી. આખલા મામલે અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જ્યારે જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે

 

(10:53 pm IST)