Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી,આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે:પીએમ મોદી

જામનગરમાં પીએમ મોદીએ ગુજરાતમાં લધુ ઉદ્યોગ ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એએસએમઇને આપવાનું નક્કી કર્યું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેમાં વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસમા ચાર જાહેર સભાઓ સંબોધશે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.   જેમાં તેમણે જણાવ્યું કે આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી,આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે.

 ગુજરાત મેન્યુફેકચરિંગ સ્ટેટ છે. જે એક સ્વપ્ન જોયું હતું કે મોરબી, રાજકોટ અને જામનગર જાપાનની બરોબરી કરે તેવો પ્રદેશ છે. આ પટ્ટો આજે એન્જિનિયરીગ ક્ષેત્રનું હબ બન્યું છે. જામનગરના નાના ઉદ્યોગો માટે અવસર મળવાના છે. ગુજરાતમાં લધુ ઉદ્યોગ ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એએસએમઇને આપવાનું નક્કી કર્યું છે.લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ એવી ભવ્ય અને મજબૂત બનાવી રહ્યાં છે જેના કારણે લક્ષ્મીજીને આપણા ત્યાં જ આવવાનું મન થાય.

 

(6:53 pm IST)