Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પૂર્વ આરોગ્‍ય મંત્રી અને સિધ્‍ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્‍ય જયનારાયણ વ્‍યાસે કોંગ્રેસને ખુલ્લું સમર્થન કર્યું

પાટણ સિધ્‍ધપુર વિધાનસભા બેઠકને લઇને રાજકીય ગરમાવો

(જયંતિભાઈ ઠક્કર દ્વારા)પાટણ તા.૨૮: પાટણ સિદ્ધપુર વિધાનસભા બેઠકને લઈને રાજકીય ગરમાવો આવ્‍યો છે. પૂર્વ આરોગ્‍ય મંત્રીᅠ સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્‍ય જયનારાયણ વ્‍યાસે કોંગ્રેસનેᅠ ખુલ્લું સમર્થન કર્યું છે્‌.

વામૈયા ગામે ભરી સભામાં જયનારાયણ વ્‍યાસે ચંદનજી ઠાકોરનેᅠ આશીર્વાદ આપ્‍યા છે.જયનારાયણ વ્‍યાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિજય હાર પહેરાવી ધારાસભ્‍ય જાહેર કર્યા છે.ચંદનજી ઠાકોરને જીતાડવાની જયનારાયણ વ્‍યાસે જવાબદારી લીધી છે. જયનારાયણ વ્‍યાસે જાહેરમાં ચંદનજીના સમર્થનમાં આવી જતા ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત માટે કપરા ચઢાણ સમી જીત બની છે.

જયનારાયણ વ્‍યાસ અને ચંદનજી ઠાકોરને એક મંચ પર જોવા સમગ્ર ગામ ઉમટ્‍યું હતું.સિદ્ધપુર બેઠકમાં જયનારાયણ વ્‍યાસના હજારો સમર્થકો ભાજપનાં ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત માટે મોટી મુશ્‍કેલી સર્જી શકે છે.

(12:21 pm IST)