Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાજયમાં કોરોના થાક્યો : નવા 93 કેસ નોંધાયા:વધુ 146 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.034 થયો :કુલ 12.62.618 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 90.052 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 900 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 93 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 146 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.618 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,034 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 90.052 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,67.83.670 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 900 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 896 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 93 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ,સુરત કોર્પોરેશનમાં 16 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરતમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 5 કેસ,બનાસકાંઠામાં 4 કેસ,મહેસાણામાં 3 કેસ,ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર,કચ્છ, રાજકોટ અને વલસાડમાં 2-2 કેસ, આણંદ ,મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ,સાબરકાંઠા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો

(8:31 pm IST)