Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ગાંધીનગરમાં નવા આવાસ કેવા બનશે? ધારાસભ્‍યો સમક્ષ દર્શાવાઇ ઝલક

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૮: આજે બપોરે ૧-૩૦ કલાકે વિધાનસભા ભવન ખાતે રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા બનનારા ધારાસભ્‍યોના નવા બનનારા ધારાસભ્‍યોના નિવાસસ્‍થાનોનું પ્રેઝન્‍ટેશન કરવામાં આવનાર છે.

આખા ગાંધીનગરનાં શરૂઆતના જે નિવાસસ્‍થાનો હતા ત્‍યારબાદ બે જુદી જુદી જગ્‍યાએ નવા નિવાસસ્‍થાનો બનાવ્‍યા હતા હવે મુળ સેકટર-૧૭ ખાતે નવા ધારાસભ્‍યો નિવાસસ્‍થાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જેમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહ્યા છે.

(4:46 pm IST)