Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સિરીયલ ‘દિલ દિયા ગલ્લા'માં આગની દુર્ઘટનાઃ પરિવાર એકત્ર થશે?

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પરની સિરીયલ દિલ દિયાં ગલ્લાંમાં ત્રણ પેઢીઓને પ્રકાશમાં લાવવા સાથે પંજાબી પરિવારની ભાવનાત્‍મક હિજરતની વાર્તા બતાવવામાં આવી છે અને પ્રથમ બે પેઢી માફ કરવા અને ભૂતકાળમાં વીતેલું ભૂલવા કઈ રીતે તૈયાર થતી નથી, પરંતુ તેમના ભૂતકાળનો સામનો કરવા માટે મજબૂર કરાય છે અને આશાસ્‍પદ રીતે ત્રીજી પેઢી આવતાં તેમના જખમ કઈ રીતે રૂઝાય છે તે બતાવવામાં આવ્‍યું છે. આગામી એપિસોડમાં દર્શકોને દિલપ્રીત (પંકજ બેરી) અને મનદીપ (સંદીપ બસવાના) પચીસ વર્ષ પછી રૂબરૂ આવતાં જોવા મળશે.

આસ્‍થા (રીમા વોહરા)નું ગુંડાઓ દ્વારા અપહરણ થાય છે અને તેને ગોદામમાં રખાય છે, જેને આગ લાગે છે. દિલપ્રીત અને મનદીપને આ વિશે જાણ થાય ત્‍યારે તેઓ ભયભીત થાય છે અને આસ્‍થાને બચાવવા માટે દોડી જાય છે. દિલપ્રીત આસ્‍થાને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પિતા- પુત્ર જોડી માટે નસીબમાં કાંઈક બીજું જ લખાયેલું હોય છે. દિલપ્રીત અટવાઈ જાય છે અને આખરે મનદીપ બચાવવા આવે છે અને આસ્‍થા અને તેના પિતાને જીવલેણ આગમાંથી બચાવે છે.

(3:32 pm IST)