Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કોરોના સંક્રમણના ભય વચ્ચે સ્વાદુપિંડના કેન્સરની ડો. ઇશાન શાહ દ્વારા સફળ સર્જરી

(કેતન ખત્રી) અમદાવાદ : કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન અન્ય જટીલ ગણાતી બિમારીઓની સારવાર ખુબ મુશ્કેલરૂપ બને છે. ત્યારે આવા સમયમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ગેસ્ટ્રો અને કેન્સર સર્જન ડો. ઇશાન શાહે કોરોનાના દર્દીમાં સ્વાદુપીંડના કેન્સરનું જટીલ ઓપરેશન ૧૨ થી ૧૪ કલાકમાં પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના ભય વચ્ચે આ પ્રકારની સર્જરીમાં તબીબ ઉપરાંત તેમની પુરી ટીમ ઉપર ઇન્ફેકશનનું જોખમ હોય છે. ત્યારે આ કિસ્સામાં ડો. ઇશાન શાહ (મો.૯૫૯૯૫ ૫૫૭૯૫) એ ખુબ કાળજી પુર્વક સર્જરી કરી સફળતા મેળવી સમાજને એક નવુ જ ઉદાહરણ પુરી પાડેલ છે.

(3:40 pm IST)