Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદના નવરંગપુરાનું ચાય સુટ્ટા બાર : કોવીડ ગાઈડલાઇનના ભંગ બદલ કાર્યવાહી

રાત્રે મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ચાય સુટ્ટા બાર પર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. કોવિડ 19ની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું જણાતાં ચાય સુટ્ટા બારને સીલ કરાયું હતું. આ અગાઉ એસ.જી. હાઇવે પરના છ એકમોને સીલ કરાયાં હતા. ઘણીવાર જાહેરાત કરવા છતાં નિયમોનું પાલન કરવામાં સંચાલકો નિષ્ફળ જતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે.

 અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી અપાયેલી નોટીસમાં જણાવ્યું છે કે, હાલમાં કોવિડ 19 મહામારી ફેલાતી રોકવા અંગે સરકાર તરફથી વારંવાર ગાઇડલાઇન્સ તેમ જ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આપના ધંધાના સ્થળે કોવીડના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડયું છે. આથી આપનું આ યુનિટ સીલ કરવામાં આવે છે. આપના ધંધાના સ્થળે લગાવેલ સીલને સક્ષમ સત્તાની મંજુરી વગર ખોલવુ કે ખોલાવવું કે પછી છેડછાડ કરવી તે કાનૂની ગુનો બને છે. જો તેમ કરવામાં આવશે તો કસુરવાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

(10:34 pm IST)