Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

25 જૂન 1975 : કટોકટી દરમિયાન લોકશાહીની પુન : સ્થાપના માટે વિજયભાઈ રૂપાણીનો જેલવાસ

લોકશાહીને બચાવવા માટે લડનારા તમામ રાષ્ટ્રભકત યોદ્ધાઓને યાદ કરીને નમન કરું છું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: કટોકટી દરમિયાન યુવાન વયે રાષ્ટ્રીયતાના રંગે રંગાયા : રાષ્ટ્રભક્ત આંદોલનકારીઓની સાથે પૂર્વ મુખ્યમંત્રીએ જેલવાસ ભોગવ્યો

અમદાવાદ : આજે 25મી જૂનનો દિવસ લોકશાહીની પુન :સ્થાપના માટેનો મહત્વનો દિવસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માટે યાદગાર હશે ,1975ની કટોકટી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જેલવાસ ભોગવ્યો હતો, વિજયભાઈ રૂપાણીએ અનેક રાષ્ટ્રભકત આંદોલનકારીઓની સાથે હસતા મોંએ જેલવાસ વેઠ્યો હતો, આજના દિવસે યાદ કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશ્યલ મીડિયા મારફત યાદ  કર્યો છે કે 1975-25મી જૂને શ્રીમતી ઈન્દીરા ગાંધી અને કોંગ્રેસ દ્વારા સતા બચાવવા માટે લોકશાહીને ગળે ટુંપો આપીને દેશમાં કટોકટી જાહેર કરવામાં આવેલી,એ વખતે લોકશાહીને બચાવવા માટે લડનારા તમામ રાષ્ટ્રભકત યોદ્ધાઓને યાદ કરીને નમન કરું છું

(8:03 pm IST)