Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજપીપળામાં માછી યુવક મંડળ દ્વારા કોરોના સમયમાં મૃત્યુ પામેલા સ્વજનોના આત્માની શાંતિ માટે હોમાત્મક લધુરૂદ્ર રખાયો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળાના મોટા માછીવાડ ખાતે માછી યુવક મંડળ દ્વારા હોમાત્મક લધુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા એકાદ વર્ષમાં કોરોના મહામારી દરમિયાન માછી સમાજ ના ઘણા લોકો મૃત્યુ પામ્યા હોય,સમાજના લોકોને કોરોના જેવી મહામારીથી બચાવવા તેમજ મૃતક સ્વજનોના આત્માની શાંતિ માટે માછી યુવક મંડળ રાજપીપળા દ્વારા હોમાત્મક લધુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરકારની કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાયું હતું તેમ માછી યુવક મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ માછી અને મંત્રી જેન્તીભાઈ માછીએ જણાવ્યું હતું

(10:29 pm IST)