Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વડોદરાના નાગરવાડામાં આંતરિક અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

વડોદરા:શહેરના નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ દ્વારા સામસામે પથ્થરમારો કરતા મામલો બીચકયો હતો. જ્યારે ભારે જહેમતે મામલો થાળે પાડ્યો હતો.

 

વડોદરા શહેરના નાગરવાળા વિસ્તારમાં હરિજનવાસ અને કાઠિયાવાડી ચાલ વચ્ચે વર્ષોથી આંતરિક અદાવત ચાલતી આવી છે. જેમાં ગત રાત્રે સામાન્ય બાબતે થયેલા પથ્થરમારા બાદ પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી.
જેમાં આજે બપોરે ફરી એક વાર યુવતીની છેડતી મામલે બે જૂથ આમને સામને આવી જતા ભારે પથ્થરમારો થવા પામ્યો હતો. હરિજનવાસ અને કાઠિયાવાડી ચાલી વચ્ચે થયેલા જૂથ અથડામણમાં વાહનોની તોડફોડ પણ થવા પામી હતી. જ્યારે એક બીજાના ઘરમાં પણ ટોળાએ તોડફોડ કરતા મામલો વધુ વણસ્યો હતો.
સમગ્ર બનાવમાં કારેલીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સમગ્ર ઘટનામાં હાલ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે પોલીસે તોફાની તત્વોની ઓળખ મેળવી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:05 pm IST)