Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થતા નર્મદાના વાંદરી ગામમાં શોક વ્યકત કરી શ્રધાંજલિ અપાઈ

ગ્રામજનોએ આજે એક દિવસનો શોક જાહેર કરી શ્રદ્ધાંજલિ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે.અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનામાં ચેપ લાગ્યો હોય એ પછી તેમની સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું હતું જેમાં આ બાબતે જાણ કરાઈ હતી.

  અહમદ પટેલની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.આ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હોય નર્મદા જિલ્લાના વાંદરી ગામ કે જ્યાં આદિવાસીઓની દયનિય સ્થિતિ હતી એ ગામને રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલે દત્તક લઈ ગામનો વિકાસ કર્યો હતો ત્યારે આજે અહેમદ પટેલના નિધનની વાત સાંભળતા જ ગામમાં શોકનું મોજું ફરી વળતા ગ્રામજનોએ આજે એક દિવસનો શોક જાહેર કરી શ્રદ્ધાંજલિ આપી છે એમની ખોટ આ ગામમાં કાયમ વર્તાશે તેવી વાત કરી હતી.

(9:41 am IST)