Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઓક્‍ટોબર અંતમાં વિધાનસભા વિસર્જન ! નવેમ્‍બરમાં બે તબક્કામાં ચૂંટણી ?

ડિસેમ્‍બરમાં નવી સરકારની ચાલી રહી છે તૈયારી : સીઆર પાટીલે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેના અણસાર આપી દીધા

નવી દિલ્‍હી, તા.૨૬: ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી ડિસેમ્‍બરના બદલે એક મહિનો વહેલી નવેમ્‍બરમાં યોજવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે, જેમાં ૧૫ ઓક્‍ટોબર આસપાસમાં વિધાનસભા નું વિસર્જન કરી દેવામાં આવી શકે, એટલે કે ઓક્‍ટોબર ના અંત સુધીમાં ચૂંટણી જાહેર થશે અને નવેમ્‍બર ના બીજા અઠવાડિયામાં બે તબક્કામાં મતદાન પૂર્ણ કરી, ડિસેમ્‍બર માં નવી સરકાર રચાઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી આમ તો ડિસેમ્‍બર માં યોજવાની હોય છે,પણ રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણી પંચ ની તૈયારીઓ ની સાથે વિવિધ રાજકીય નેતાઓના ગુજરાત ના આંટાફેરા પણ એકદમ વધી ગયા છે, પરિણામે ચૂંટણી સમયસર થશે કે વહેલી  તેની જાત જાતની અટકળો ચાલી રહી છે ત્‍યારેઉચ્‍ચ સરકારી સુત્રો પાસેથી મળેલા સંકેતો અનુસાર, ચૂંટણી દિવાળી પછી એટલે કે ૨૦ નવેમ્‍બર બાદ બે તબક્કામાં મતદાન યોજાશે,જે નવેમ્‍બર ના અંત માં પૂર્ણ કરી દેવામાં આવી શકે છે, એ પહેલાં આચારસહિતા ઓકટોબરના અંત ભાગમાં લાગુ થઇ જશે. ચૂંટણી પંચ અને રાજકીય નેતાઓ ના જણાવ્‍યા અનુસાર ઓકટોબરનાં અંતમાં આચારસહિતા લાગુ થઇ જાય એટલે ઉમેદવારોને પ્રચાર માટે  ૨૨થી ૨૫ દિવસ જેટલો સમય મળશે. ચૂંટણી પંચ  બે તબક્કમાં  મતદાન કરવામાં આવે તેવી દિશામાં આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્‍યું છે,  આ માટે ૨૦ નવેમ્‍બર બાદની મતદાન ની તારીખ નક્કી થઇ શકે છે. સામાન્‍ય રીતે મતદાનમાટે રવિવારનો દિવસ જ નક્કી કરવામાં આવે છે, જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તાજેતરમાં જ બે મહિનામાં આચારસહિતા લાગુ થઇ જશે તેવું નિવેદન આપ્‍યુ હતું. સીઆર પાટીલેથોડા દિવસ પહેલા વડોદરાના સાવલીમાં એક સભાને સંબોધતાં ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેના અણસાર આપી દીધા છે. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, બે મહિના બાદ ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડી જશે. સીઆર પાટીલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(3:25 pm IST)