Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરાના સલાટવાડામાં ટાયરની દુકાન ચલાવતા વૃદ્ધ વેપારીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

વડોદરા:સલાટવાડામાં ટાયરની દુકાન ચલાવતા વૃદ્ધ વેપારીએ નવ દિવસ પહેલા ઘરે ઝેરી દવા પી લીધી હતી.આજે સારવાર  દરમિયાન તેઓનું મોત થયું છે.હરણી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વી.આઇ.પી.રોડ પર અયોધ્યાનગરમાં રહેતા ૭૦ વર્ષના જીતેન્દ્રભાઇ ગુણવંતસિંહ જયસ્વાલની સલાટવાડામાં ટાયરની દુકાન છે.પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા જીતેન્દ્રભાઇ ગત તા.૧૬ મી એ ઘરે એકલા હતા.તેમનો પુત્ર અને પુત્રવધૂ સંબંધીના ઘરે ગયા હતા.સાંજે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે પિતાને ઉલટીઓ થતી હોય.તેઓ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ  ગયા હતા.નવ દિવસમાં છ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.પરંતુ,તેમનો જીવ બચી શક્યો નહતો.હરણી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.અશ્વિનભાઇએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:55 pm IST)